ગુજરાતી સુવિચાર

ગુજરાતી સુવિચાર

કોઈના વગર કંઈ અટકતું નથી; 
પણ, અધુરું ચોક્કસ રહે છે."

લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ
એ બધાને જડતી નથી...!

લોકો વારંવાર કહેતા હોય છે કે 
'જીવતા રહેશું તો ફરી મળીશું'

પણ,કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે . 

'મળતા રહેશો તો જીવતા રહેશું'..આતો રંગ બદલતી દુનિયા છે દોસ્તો..તમારા દુઃખો તમને રડી રડીને પૂછે છે..અને બીજાને તે હસી હસીને બતાવે છે..!
=======================================================================

 મળેલા સમય ને જ યોગ્ય બનાવો સાહેબ..
યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જીંદગી ટૂંકી પડશે..!



જીદંગી આ ન્યુઝપેપર જેવી છે..જો તમે આજ ના છો..તો કામ ના છો..જો જુના થઇ ગયા છો..તો ફરસાણ ના પડીકાબનશો..


કીંમતી માેતી ની માળા તુટી જાય તાે માેતી વીંણવા માટે નીચે નમવા માં કઈ વાંધાે નથી.... બસ ! સંબંધાે નું પણ કંઈક એવું જ છે...



હું નીકળ્યો સુખ ની શોધ માં રસ્તે ઉભા દુ:ખો બોલ્યા..
અમને સાથે લીધા વગર કોઇને સુખનુ સરનામુ મળતુ નથી..!



કોઇકે પૂછ્યું..
તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી શકો છો..?મે કહ્યું..
કેટલાકનું સાંભળી લઉં છું..
કેટલાકને સંભાળી લઉં છું..!



ઘણીવાર સારું જીવન જીવવા માટે..
ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..!



સમય ભલે દેખાતો નથી, પણ ઘણુંબધું દેખાડી જાય છે..
આપણ ને કેટલા ઓળખે છે એ મહત્વ નું નથી..
શા માટે ઓળખે છે એ મહત્વનું છે..!



પ્રેમ ની જરૂરિયાત તો દરેક ને હોય છે..
પણ પ્રેમની કદર માત્ર કોઇક ને જ હોય છે..!



જેને મળવાથી જીંદગીમાં ખુશી મળતી હોય છે.. 
તેવા લોકો, શા માટે જીવનમાં ઓછા મળતા હોય છે..?



પોતાની જીંદગીમાં બધા એટલા મશગૂલ થઈ ગયા છીએ..કે કોને ભૂલી ગયા છીએ એ પણ યાદ નથી..!



 નફરતોને બાળશો તો, પ્રેમની રોશની થશે..



બચપન આખું ગણતા રહ્યા દાખલા ત્રિકોણ-ચતુષ્કોણના..કાશ..!
કોઇએ સમજાવ્યા હોત પ્રમેયો દ્રષ્ટિકોણના..!



જિંદગીમાં જ્યાં સુધી તમે યાદ રાખો છો,
ત્યાં સુધી ગઈકાલ જીવે છે.અને જ્યાં સુધી તમે આશા રાખો છો,ત્યાં સુધી આવતીકાલ તમારી રાહ જુએ છે..!



કોઇના સમય ઉપર હસવાની હીંમત ના કરતા..
સમય હંમેશા ચેહરો યાદ રાખે છે..!



સમર્પણ નું ખાતર નાખ્યા વગર સબંધ નું વૃક્ષ મોટું થતું નથી..
ભૂલ તારી નથી , ભૂલ મારી છે એ સમજવું એ જ સાચો સબંધ છે..!



નાના માણસોના હાથ પકડી રાખજો પછી
મોટા માણસના પગ પકડવાની જરૂર નહિ પડે.!



કાશ, સડકોની જેમ જીંદગીના રસ્તાઓ પર પણ લખાયેલુ હોય કે,
"આગળ ભયજનક વળાંક છે.જરા સાચવીને.



જીંદગીમાંથી જેટલું સારું લઇ શકાય એટલું લઇ લેજો સાહેબ, કેમકે જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે.!



તમારા અને મારા વચ્ચે કેટલી સમાનતા..
તમે અંતર રાખો છો અને હું અંતરમાં રાખુ છુ..!



 ફળ પરિપક્વ થયા પછી પડી જાય છે..અને 
માણસ પડ્યા પછી પરિપક્વ થાય છે..!



હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો..
શક્ય છે રૂમાલ ભીના મળે..!



જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ને..
ત્યારે સમજવું કે પ્રગતિ ની શરુઆત થઇ ચુકી છે..!



તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો..
કારણ કે એ તમારા કરતાં લાંબુ જીવવાની છે..!



 જિદગી મા સુખી થવાની રીત,હસવું ,હસાવવું અને 
હસી કાઢવું.



 યાદ કરશો તો યાદો માં મળશું.  નહિ તો ,  ફરિયાદો માં તો છું જ.



પૂ.મુનિશ્રી અનંતબોધિ વિજય  મહારાજશ્રી  ની આ રત્ન  કણિકા જરૂર વાંચો 












Comments